તસ્કરોનો તરખાટ; સાબરકાંઠાના વડાલીમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળાં તૂટયા

તસ્કરોનો તરખાટ; સાબરકાંઠાના વડાલીમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળાં તૂટયા

વડાલી શહેરમાં રાત્રે અંધારું છવાતાં જ તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય બજારની દુકાનનું તાળું તોડી ચોરી કરવાનો ઘાટ રચાયો હતો. એટલુ જ નહીં, ત્યારબાદ વડાલી-ઈડર હાઇવે પર આવેલી જનતા માર્કેટની ત્રણ દુકાનોના તાળાં તોડી, તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનોમાં ઘૂસી તસ્કરો દ્વારા માલસામાન વેરવિખેર કર્યો હતો. પરંતુ કિંમતી ચીજવસ્તુઓ હાથે ન લાગતા તેઓ નિરાશ થઈ પાછા ફર્યા હતા. સવારે જ્યારે વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તાળાં તૂટેલા જોવા મળતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી અને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે પોલીસે તપાસ તીવ્ર બનાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *