પાલનપુરમાં રહેતા એક પરિવારની કિશોર વયની સગીરા ઘરે થી સોસાયટી માં કામ કરવા ગયા બાદ પરત ન ફરતા અને તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતાં તેનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પંદર વર્ષની દીકરી જે આસપાસની સોસાયટીમાં ઘર કામ કરવા જતી હતી. આ સગીર વયની કિશોરી ગત. તા.20 મે ના રોજ ઘર કામ કરવા ગયા બાદ પરત ન ફરતા અને તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા તેના પરિવાર દ્વારા ગુમસુદા કિશોરીની ભારે શોધખોળ કરી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગતા પરિવારને તેમની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા લગ્ન કરવાની લાલચ અપહરણ કરાયું હોવાનું લાગતા આ મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહૃત કિશોરીને શોધી કાઢવા ની કવાયત હાથ ધરવામાં આવી હતી.
- May 24, 2025
0
366
Less than a minute
You can share this post!
editor

