દક્ષિણ-પશ્ચિમ ચીનમાં ભૂસ્ખલનને કારણે 4 લોકોના મોત ઘટનામાં 17 લોકો ફસાયા

દક્ષિણ-પશ્ચિમ ચીનમાં ભૂસ્ખલનને કારણે 4 લોકોના મોત ઘટનામાં 17 લોકો ફસાયા

ચીનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં ગુઇશોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ચાર લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભૂસ્ખલન બાદ ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. આખા વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે.

એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, આ ઘટના બાદ સામાન્ય જનજીવન પર ઘણી અસર પડી છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે, પરંતુ ગુમ થયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત, ભૂસ્ખલનને કારણે ગુઓવા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી કપાઈ ગઈ હતી. આ શહેરમાં કિંગયાંગ ગામ આવેલું છે, જ્યાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આખી રાત વરસાદ પડ્યો, ત્યારબાદ ભૂસ્ખલન થયું. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *