ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દાવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દાવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો


(જી.એન.એસ) તા. 16

કતાર,

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ બાદ યુદ્ધવિરામ મામલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું એવું નથી કહી રહ્યો કે મે મધ્યસ્થા કરાવી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વધી રહેલા તણાવ ભરી સ્થિતિનો ઉકાલ લાવવા માટે મે મદદ કરી…’

કતારમાં અમેરિકી સૈન્ય કર્મચારીઓને સંબોધતા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના તેમના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું હતું કે, ‘મે ખાલી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને દૂર કરવામાં મદદ કરી હતી. હું એવું નથી કહેતો કે મેં મધ્યસ્થા કરી.’ તમને જણાવી દઈએ કે, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ‘ઓપરેશન સિંદૂર’ બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.’

ઉલ્લેખનીય છે કે, ૧૨ મેના રોજ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તૃતીય પક્ષ મધ્યસ્થી અંગેના કોઈપણ સૂચનને આડકતરી રીતે ફગાવી દીધું હતું. ભારતના લાંબા સમયથી ચાલતા વલણને ફરીથી રજૂ કરતાં, મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત આતંકવાદ અથવા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ની સ્થિતિ સુધી મર્યાદિત રહેશે, વિદેશી શક્તિઓ દ્વારા મધ્યસ્થી કરાયેલા દ્વિપક્ષીય વિવાદો સુધી નહીં.

નવીનતમ ઘટનાક્રમ દક્ષિણ એશિયામાં રાજદ્વારી વાર્તાઓના નાજુક સંતુલનને રેખાંકિત કરે છે, જ્યાં ભારત અને પાકિસ્તાન બંને તેમના દ્વિપક્ષીય બાબતોમાં બાહ્ય સંડોવણી પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહે છે. જ્યારે ટ્રમ્પે પોતાને શાંતિ નિર્માતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હશે, ત્યારે નવી દિલ્હીના મજબૂત ઇનકાર સૂચવે છે કે તણાવ ઓછો કરવાનો માર્ગ બંને દેશોના હાથમાં છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *