વડનગર-ખેરાલુ હાઇવે પર ડીજેના મોટા અવાજના કારણે ભમરાઓનું ઝુંડ ત્રાટક્યું

વડનગર-ખેરાલુ હાઇવે પર ડીજેના મોટા અવાજના કારણે ભમરાઓનું ઝુંડ ત્રાટક્યું

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક અજબ ઘટના સામે આવી છે. શેખપુરથી મલેકપુર રામાપીર મંદિર તરફ જઈ રહેલા સંઘ પર ભમરાઓએ હુમલો કર્યો હતો. આ ઘટના ખેરાલુ જીઆઇડીસી વિસ્તાર નજીક બની હતી. સંઘમાં સામેલ 50થી વધુ લોકો વાજતે-ગાજતે ડીજેના તાલે આગળ વધી રહ્યા હતા. ડીજેના મોટા અવાજના કારણે ભમરાઓ ઉશ્કેરાયા હતા. વડનગર-ખેરાલુ હાઇવે પર અચાનક ભમરાઓનું ઝુંડ ત્રાટક્યું હતું. ભમરાઓના હુમલામાં 10થી વધુ લોકોને ડંખ મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *