બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિનઅનુદાનિત શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેમાં 20 બીન અનુદાનિત શાળાઓમાં આચાર્ય સહિત જિલ્લામાં કુલ 742 જેટલા શિક્ષકોની નવીન ભરતી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિન અનુદાનિત શાળાઓમાં કુલ 804 ખાલી જગ્યાઓ સામે સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 370 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે બિનઅનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 261 શિક્ષકોને નિમણૂક પત્ર અપાયા છે. જ્યારે બિન અનુદાનિત શાળાઓમાં 20 જેટલા આચાર્યોને નિમણૂક પત્ર અપાયા છે તેમજ 91 જુના શિક્ષકોને બિન અનુદાનિત શાળાઓમાં નિમણૂક પત્ર અપાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 742 ની ભરતી કરવામાં આવી છે જ્યારે 62 શિક્ષકોની ભરતી કરવાની હજુ બાકી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં 742 જેટલા શિક્ષકો નવા મળતા બનાસકાંઠામાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને આગામી દિવસોમાં શિક્ષણ સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે .
- July 31, 2025
0
196
Less than a minute
You can share this post!
editor

