29 લાખના ખર્ચે 4 સેક્ટરમાં સરકારી આવાસના ડ્રેનેજ જોડાણ પાટનગર યોજના વિભાગ આપશે


(જી.એન.એસ),તા.૨૫

ગાંધીનગર

શહેરમાં મેઇન ડ્રેનેજ લાઇનનું મોટાભાગનું કામ પૂરું થયું છે. હવે ઘર જોડાણ આપવાનું કામ શરૂ થવાનું છે. પાટનગર યોજના વિભાગે સેક્ટર 22, 23, 28 અને 29માં આવેલા સરકારી આવાસોને ગટર જોડાણ આપવા તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારોમાં નવું માળખું તૈયાર થશે છતાં ઘરના જોડાણ નહીં અપાય તો ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેશે.

ત્રણ વર્ષ પહેલાં સ્માર્ટ સિટી યોજના હેઠળ પાટનગરના સેક્ટર વિસ્તારમાં 24 કલાક પાણી અને ગંદા પાણીના નિકાલ માટે નવું નેટવર્ક બનાવવાની રૂ. 250 કરોડની યોજના મંજૂર થઈ હતી. કામમાં ભારે વિલંબ થયા બાદ આ યોજના હેઠળ કામગીરી હાલ અંતિમ તબક્કે પહોંચી છે. મુખ્ય માર્ગો પાસે મેઇન લાઇનનું કામ પૂરું કરવા 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

નિયમ મુજબ ઘરમાલિકે પોતાના ખર્ચે જોડાણ કરવાનું હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ ખાનગી આવાસોમાં જોડાણ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે શહેરમાં આવેલા સરકારી આવાસોની જવાબદારી પાટનગર યોજના વિભાગની બનતી હોવાથી તેણે આ માટે કવાયત શરૂ કરી દીધી છે. આ કામ માટે રૂ. 29.10 લાખનો ખર્ચ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પુરી થયા બાદ દરેક સરકારી આવાસને ડ્રેનેજની મેઇન લાઇન સાથે જોડાણ અપાશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *