મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન ટોડા મંદિર ખાતે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફૂટ ઊંચા સંપૂર્ણ તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ છે. આરસપહાણની પીઠિકા સાથે તેની ઊંચાઇ 31 ફૂટની છે જેને તૈયાર કરવામાં કુલ 27 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે. મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાના હસ્તે ગુરુવારે ત્રિશૂળનું અનાવરણ કરાયું હતું. સદીઓ પૂર્વે ઋષિ-મુનિઓને રંજાડતા દંઢાસૂર નામના રાક્ષસનો બહુચર માતાજીએ બાળા રૂપે પ્રગટ થઇ ત્રિશૂળથી સંહાર કર્યો હતો. ત્રિશૂળ માતાજીનું મુખ્ય આયુધ હોઇ તે સંદર્ભમાં શંખલપુરના ટોડા મંદિર ખાતે ભવ્ય ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ ત્રિશૂળધારી મંદિર બની જવા પામ્યું છે આ સીવાય રાજસ્થાનના સુંધા માતાજીના મંદિરે પણ આવા જ ત્રિશૂળના દર્શન થાય છે.
- May 10, 2025
0
550
Less than a minute
You can share this post!
editor

