૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સેવાની સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સેવાની સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ એમ્બ્યુલન્સ સેવા જે 24/7 દોડતી હોય છે અને લોકોના જીવ બચાવતી હોય છે આપણે 108 એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને ગણતરી ની મિનિટોમાં જ આપણા સુધી 108 એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમબદ્ધ સ્ટાફ પહોંચી જાય છે એવી જ છાપી 108 ની ટીમને ગઈ કાલે સવારે શેરપુરા પાટીયાનો માર્ગ અકસ્માત નો કોલ મળતા ઈએમટી લલીતભાઈ પરમાર અને પાયલોટ ભરતભાઈ પ્રજાપતિ બંને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર 108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

ત્યાં સ્થળ પર પહોંચ્યા શેરપુરા ગામના પાટિયા નજીક એક ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ નો અકસ્માત થતા એક દર્દી બેભાન હાલતમાં હતું અને ઘટના સ્થળેથી એક લેપટોપ,બે મોબાઈલ ફોન, ચેઈન, વીંટી, ફોરેન કરન્સી અંદાજિત 200 પાઉન્ડ (અંદાજે 22674 ઈન્ડિયન રૂપિયા),ફોરેન કરન્સી અંદાજિત 300 ડૉલર (અંદાજે 25500 ઈન્ડિયન રૂપિયા) અને 1320 રૂપિયા રોકડા ,પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે  પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સ્થળ પરથી 108 ટીમને મળેલ લેપટોપ સહિત રોકડ રકમ અને સામાન પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફ ને જમા કરાવવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *