(જી.એન.એસ) તા. 15
સોનીપત,
હરિયાણાના સોનીપતમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમીન વિવાદના કારણે પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી છે, આ મામલે વિગતમાં વાત કરીએ તો, જમીન વિવાદના કારણે સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે 9:30 વાગ્યે કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતાએ પાડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલાં જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
તા. 14 માર્ચ ને શુક્રવાર ના રોજ રાત્રે જ્યારે ભાજપ નેતા જમીન પર વાવણી કરવા ગયા તો આરોપી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યારે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ભાજપ નેતા ત્યાંથી નીકળી ગયા. બાદમાં જ્યારે તે પોતાની દુકાને બેઠા હતાં અને ત્યારે એકાએક આરોપી ત્યાં પહોંચ્યો અને બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.