રીબડાના અનિરુધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની તકલીફોમાં વધારો?? ખાસ સરકારી વકીલે દાખલ કરી નવી અરજી


(જી.એન.એસ) તા. ૭

રાજકોટ/અમદાવાદ,

જેલમાં બંધ રીબડાના અનિરુધસિંહ જાડેજા અને તેમના સૌથી નાના પુત્ર રાજદીપ સિંહ જાડેજા સહિતનાઓની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. તેમની ચિંતામાં વધારો થયો છે કેમ કે, સ્પે.પીપી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં BNS ની કલમ 231 નો ઉમેરો કરવામાં માટે અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. ખોટા પુરાવા ઊભા કરવાની કલમનો ઉમેરો કરવા અરજી કરાઈ છે. આપઘાત કરનાર અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. તપાસનીશ અધિકારીને ખુલાસો કરવા બાબતે કોર્ટે કરી તાકીદ. અરજીમાં રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. દાખલ કરવામાં આવેલ કલમ મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ હોવાથી અમિતે ડરી જઈ આપઘાત કર્યો હતો તેવો પણ ઉલ્લેખ કરાયો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *