યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સની અસ્થાયી કાનૂની સ્થિતિને સમાપ્ત કરવાની મંજૂરી

યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સની અસ્થાયી કાનૂની સ્થિતિને સમાપ્ત કરવાની મંજૂરી


(જી.એન.એસ) તા. 31

વોશિંગ્ટન,

અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ખૂબ મોટો અને મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં, ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સની અસ્થાયી કાનૂની સ્થિતિને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઇમિગ્રન્ટ્સ વેનેઝુએલા, ક્યુબા, હૈતી અને નિકારાગુઆ જેવા દેશોના છે. આ નિર્ણય દેશનિકાલ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે અને ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિને મજબૂત બનાવી શકે છે. 

આ કેસની વાત કરીએ તો વર્ષ 2022-23માં સરહદ પારથી વધતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને, બાઈડન સરકારે આ દેશોના લોકો માટે પેરોલ કાર્યક્રમ શરૂ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત, ચોક્કસ શરતો પૂરી કરીને બે વર્ષ માટે અમેરિકામાં કામ કરવા અને રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લગભગ 5.3 લાખ લોકોને દેશનિકાલમાંથી રાહત મળી. અગાઉ એક ફેડરલ કોર્ટે આ નિર્ણય સામે સ્ટે મૂક્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તે સ્ટે ઉઠાવી લીધો છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં આ કાર્યક્રમ સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પેરોલ યોજના સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, માર્ચમાં, નોમે જાહેરાત કરી હતી કે આ યોજના 24 એપ્રિલથી સંપૂર્ણપણે બંધ થઈ જશે.

મહત્વનું છે કે, કોર્ટના આ નિર્ણય અગાઉ મેસેચ્યુસેટ્સની એક કોર્ટે રોકી દીધો હતો જ્યાં 23 લોકોના જૂથે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો છે. આનો અર્થ એ થયો કે હવે ટ્રમ્પ સરકારના નિર્ણયનો અમલ થઈ શકે છે અને હજારો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *