ભારતીય ક્રિકેટ ટીમ આગામી 4 મહિના સુધી કોઈ સિરીઝ નહિ રમે

ભારતીય ક્રિકેટ ટીમ આગામી 4 મહિના સુધી કોઈ સિરીઝ નહિ રમે


(જી.એન.એસ) તા. 11

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ તેમજ સપોર્ટ સ્ટાફને હવે લાંબુ વેકેશન મળવાનું છે. ટીમ ઈન્ડિયા આગામી 4 મહિના સુધી કોઈ સિરીઝ રમવાની નથી. જોકે, આ સમયગાળા દરમિયાન આઈપીએલ 2025 રમાશે. આઈપીએલની 18મી સિઝન 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. ફાઈનલ મેચ 25મી મેના રોજ કોલકાતામાં રમાશે. જે સિઝનની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. 

હવે આઈપીએલ 2025 પૂરી થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. જે 20 જૂનથી શરૂ થશે અને 4 ઓગસ્ટ સુધી હેડિંગ્લે, લીડ્સ ખાતે રમાશે. આ પછી, બીજી ટેસ્ટ 2 થી 6 જુલાઈની વચ્ચે એજબેસ્ટન, બર્મિંગહામમાં, ત્રીજી ટેસ્ટ 10 અને 14 જુલાઈની વચ્ચે લોર્ડ્સ, લંડનમાં, ચોથી 23 અને 27 જુલાઈની વચ્ચે એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટરમાં અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ પછી ભારતીય ટીમ આ વર્ષે કોઈ સિરીઝ રમશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *