પુત્ર બ્રેઇનડેડ થતા પિતાએ હૃદય, લીવર, કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય

પુત્ર બ્રેઇનડેડ થતા પિતાએ હૃદય, લીવર, કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 202મું અંગદાન

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં થયું 202મું અંગદાન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલને હૃદય, લીવર,બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું છે. 

અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઈ છેલ્લા ઘણાં સમયથી ખેંચની બીમારીથી પીડત છે. ગંભીર બીમારીથી પીડિતા ધીરજભાઈનું બ્રેઈનડેડ થતાં પિતા ગણપતભાઈએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. 

ગણપતભાઈએ જણાવ્યું હતું કે, ધીરજ લાંબા સમયથી બીમારીથી પીડાતો હતો. એટલે હું બીમારીથી પીડિત વ્યક્તિની પરિસ્થિતિને સારી રીતે સમજી શકુ છું. જેથી બીમારીથી પીડિતને નવું જીવન મળે અને સારુ જીવન જીવી શકે તે માટે મારા પુત્રના અંગોનું દાન કરવાનું વિચાર્યુ.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *