પંચમહાલમાં ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક પિતા અને તેની ત્રણ માસૂમ પુત્રીઓ નું મોત 

પંચમહાલમાં ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક પિતા અને તેની ત્રણ માસૂમ પુત્રીઓ નું મોત 


(જી.એન.એસ) તા. 18

પંચમહાલ,

પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, ધોધંબા તાલુકાના બોર ગામના એક પિતા પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા. 

જો કે, અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે. 

રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 36)

વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.12)

મનીષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.10)

નયના રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 3)

એક જ પરિવારનાં ચાર સભ્યોનાં મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે. સ્વજનો ગુમાવતા પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા છે. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *