(જી.એન.એસ) તા. ૨૭
ગાંધીનગર,
સરકારશ્રી દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપધ્ધતિથી બનેલ વિવિધ આવાસ યોજના જેમ કે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી., એમ.આઇ.જી., હરીફાઇ(કોમ્પો.), કેશલોન આવાસોના લાભાર્થીઓએ મૂળ હપ્તાની ચૂકવવાની બાકી રકમ પર ચડેલ દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવા બાબતની યોજનાને મંજુરી આપવામાં આવેલ છે. જે તા.૩૧/૦૧/ ૨૦૨૬ થી છ મહિના સુધી લાગુ રહેશે. અત્યાર સુધીમાં અંદાજિત ૧૪૨ લાભાર્થીઓએ મુદલની રકમ રૂ.૪૦,૩૧,૩૯૪/- ભરી રૂ.૩,૧૬,૯૬, ૮૩૨/-જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. જેથી મુદત પૂરી થાય તે પહેલા લાગુ પડતા બાકીના લાભાર્થીઓને બોર્ડની તમામ બાકી મૂળ હપ્તાની રકમ પૂરેપૂરી ભરપાઇ કરી દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
નોંધ – આ યોજનાની મુદત પૂર્ણ થાય ત્યાં સુધીમાં જે લાભાર્થીઓ મૂળ હપતાની બાકી રકમ ભરપાઈ કરશે નહિં, તેમને મુદત પૂર્ણ થયા બાદ દંડનીય વ્યાજમાં માફી આપવામાં આવશે નહિં.
એમ એસ્ટેટ મેનેજર ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

