આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ


(જી.એન.એસ) તા. 8

દુબઈ,

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા ભારતીય ટીમે વર્ષ 2013માં એમએસ ધોનીની કેપ્ટનસીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે બીજી ટ્રોફી પણ દૂર નથી. જોકે વર્ષ 2002માં ભારત જોઈન્ટ વિનર બન્યું હતું, તેથી આ ત્રીજી ટ્રોફી હશે. 

ભારતીય સમય મુજબ, આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

આજની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં સ્પિનરોને મદદ મળી શકે છે. ભારતીય ટીમ 4 સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે.અત્યાર સુધી આ મેદાન પર ફક્ત સ્પિન બોલરો જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. તેથી, ભારતીય ટીમ 4 સ્પિનરો સાથે ફિલ્ડિંગ કરી રહી છે.વરુણ ચક્રવર્તીએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ પણ લીધી હતી.

ભારતીય ટીમ:-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડ ટીમ:-

મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *