(જી.એન.એસ) તા. 29
સ્વદેશ સંસ્થાન અને સાગર કલાભવન અયોધ્યાના સંયુકત ઉપક્રમે તા. 1 થી 5 એપ્રિલ 2025 દરમિયાન
“અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ” યોજાશે. તેમાં સમગ્ર દેશમાંથી ચિત્ર, કવિતા, સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, પ્રવાસનને લગતાં વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચિત્રકાર અને તસવીરકાર ડૉ. હેમંત પંડ્યાએ સર્જેલા શ્રી રામ – શ્રી હનુમાનજીના સાત ચિત્રો પ્રદર્શિત થશે તેમજ હેમંત પંડ્યાને “અયોધ્યા કલા ભૂષણ સન્માન” એનાયત કરવામાં આવશે. અયોધ્યા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કલાકુંભમાં ગુજરાતનું ગૌરવ વધારનાર ડૉ. હેમંત પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.