અમદાવાદ જિલ્લામાં માર્ચ મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે


(G.N.S) St. 7

અમદાવાદ,

તા. 24/03/26ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 25/03/26ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે

આ ચાલુ મહિનામાં તા. 24/03/26ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 25/03/26ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે જેમાં અરજદારોને તા.10/03/26 સુધીમાં તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદારશ્રી અને જિલ્લા કક્ષાના પ્રશ્નો કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ

રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ માર્ચ મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા. 24/03/26ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 25/03/26ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે.

આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે.

અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં ભાગ લેવા માંગતા અરજદારો તાલુકા કક્ષાના પ્રશ્નો માટે તાલુકા મામલતદારશ્રી અને જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે જિલ્લા કલેક્ટરશ્રીને તા.10/03/26 સુધીમાં મોકલી આપવા અનુરોધ છે. આ ઉપરાંત અરજદારો પોતાના પ્રશ્નો ઓનલાઇન સ્વાગત પોર્ટલ પર પણ મૂકી શકે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *