અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા – GNS News

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા – GNS News




(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર/મહેસાણા,

વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમ સામે કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં કુલ ૨૯ વેપારી એકમો સામે પેકેજ્ડ કોમોડિટી રુલ્સ -૨૦૧૧ મુજબ નોંધણી ન કરાવવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવી છે.

વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે નોંધણી વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે પેકેજ્ડ કૉમોડીટીઝ નિયમો-૨૦૧૧ના નિયમ-૨૭ હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી માટે રોકાણકાર સુવિધા પોર્ટલ (આઇ.એફ.પી. પોર્ટલ) ઉપર ઓનલાઇન અરજી કરી જરૂરી ફી ભરી ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર મેળવી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.





Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *