શું મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ સરળ બનશે? ભારતે બેલ્જિયમને સુવિધાઓની સંપૂર્ણ વિગતો મોકલી

શું મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ સરળ બનશે? ભારતે બેલ્જિયમને સુવિધાઓની સંપૂર્ણ વિગતો મોકલી

૬૬ વર્ષીય ચોક્સીની એપ્રિલમાં બેલ્જિયમના એન્ટવર્પમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વકીલોએ દલીલ કરી છે કે તેઓ કેન્સર સહિત અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેમને કસ્ટડીમાં રાખવા જોઈએ નહીં. આ અંગે ગૃહ મંત્રાલયે બેલ્જિયમના અધિકારીઓને એક પત્ર મોકલીને જાણ કરી છે કે ચોક્સીને ભારત લાવ્યા પછી મુંબઈના આર્થર રોડ જેલ સંકુલના બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે.

બેરેકમાં આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે

બેરેકમાં સૂવા માટે સ્વચ્છ, જાડી સુતરાઉ સાદડી (જેને ગાદલું પણ કહી શકાય), ઓશીકું, ચાદર અને ધાબળો હશે. તબીબી કારણોસર, ધાતુ અથવા લાકડાનો પલંગ પણ આપી શકાય છે.

બેરેકમાં પૂરતી લાઇટિંગ, હવાદાર વેન્ટિલેશન અને વ્યક્તિગત સામાન રાખવા માટે જગ્યા હશે. બેરેકમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને તેમને દરરોજ સાફ કરવામાં આવશે.

મુંબઈનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે, તેથી બેરેકને ગરમી કે એર કન્ડીશનીંગની જરૂર રહેશે નહીં.

ચોક્સીને દિવસમાં ત્રણ વખત પૂરતો ખોરાક મળશે, અને તબીબી મંજૂરી મળ્યા પછી તેને ખાસ ખોરાક પણ આપવામાં આવી શકે છે. તે દરરોજ એક કલાકથી વધુ સમય માટે કસરત અને મનોરંજન માટે બેરેકની બહાર જઈ શકશે. જેલમાં કેન્ટીન સુવિધા પણ છે, જે ફળો અને નાસ્તા પણ પૂરી પાડે છે.

ચોકસીને બોર્ડ ગેમ્સ અને બેડમિન્ટન જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધા મળશે. આ ઉપરાંત, જેલમાં યોગ, ધ્યાન અને પુસ્તકાલયની પણ વ્યવસ્થા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *