ડીસામાં રૂ. ૨૨૫ કરોડના ખર્ચે બનાવાયેલ ૩.૭૫ કિલોમીટર લાંબા એલિવેટેડ બ્રિજ ચોમાસામાં વરસાદના સમયે લોકોમાં ચિંતા ઉપજાવે છે. આ એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદના સમયે ૧૦૮ પિલરના જોઈન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી ધોધની જેમ વહે છે. હાલમાં વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં પુલો અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠયા છે. ત્યારે ડીસાના બ્રિજ પરથી પડતાં ધોધને જોઈ વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી તેવી લોકો મજાક ઉઠાવી રહ્યા છે. માત્ર ચાર વર્ષ પહેલા બનેલા આ બ્રિજ પરથી પાણી વહેતું જોઈને લોકોના મનમાં તેની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદભવી છે. વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા આ ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી બન્યું છે.
- July 11, 2025
0
361
Less than a minute
You can share this post!
editor

