આવતા વર્ષથી વોડાફોન આઈડિયા કંપની બંધ થઈ જશે ? સરકાર પાસે મદદ માંગી

આવતા વર્ષથી વોડાફોન આઈડિયા કંપની બંધ થઈ જશે ? સરકાર પાસે મદદ માંગી

વોડાફોન આઈડિયાએ સરકારને કહ્યું છે કે જો તે મદદ નહીં કરે તો આવતા વર્ષથી તેનું સંચાલન ચાલુ રાખવું મુશ્‍કેલ બનશે : કંપનીએ લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના AGR બાકી રકમ માફ કરવાની માંગ કરી છે.: જો બંધ થશે તો તેના કરોડો વપરાશકર્તાઓએ બીજી કંપનીમાં જવું પડશે. ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (VIL) એ સરકારને એક મોટી અપીલ કરી છે. કંપનીએ ટેલિકોમ વિભાગ (DoT) ને જણાવ્‍યું છે કે જો સરકાર AGR (એડજસ્‍ટેડ ગ્રોસ રેવન્‍યુ) પર સમયસર મદદ નહીં કરે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ (FY26) પછી તેમના માટે કામ કરવું મુશ્‍કેલ બનશે. કંપની ભારતમાંથી તેનું કામકાજ બંધ કરી શકે.

કંપનીએ ૧૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ DoT ને એક પત્ર લખ્‍યો હતો. તેમણે સરકારને મદદ માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મદદ વિના પરિસ્‍થિતિ કાબુ બહાર નીકળી જશે. એનો અર્થ એ કે જો સરકાર મદદ નહીં કરે તો કંપની પાસે પાછા ફરવાનો કોઈ રસ્‍તો નહીં રહે.VIL ના CEO અક્ષય મુન્‍દ્રાએ ઝંવ્‍ સચિવને લખેલા પત્રમાં જણાવ્‍યું હતું કે AGR પર સરકાર તરફથી સમયસર સહાય વિના, VIL નાણાકીય વર્ષ ૨૬ પછી કાર્ય કરી શકશે નહીં. કારણ કે બેંક ભંડોળ અંગેની વાતચીત આગળ વધશે નહીં. આનો અર્થ એ થયો કે જો સરકાર AGRના મામલે તાત્‍કાલિક મદદ નહીં કરે, તો બેંકો કંપનીને લોન નહીં આપે અને કંપનીનું કામકાજ ઠપ્‍પ થઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *