બુધવારે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઢાકા સ્થિત નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવી દેવામાં આવી હતી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની પુત્રી અને પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના લોકોને ‘ઓનલાઇન’ સંબોધિત કરી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સાંજથી જ રાજધાનીના ધનમોન્ડી વિસ્તારમાં આવેલા ઘર સામે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘરને અગાઉ સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે હસીનાનું ભાષણ થવાનું હોવાથી સોશિયલ મીડિયા પર “બુલડોઝર સરઘસ” કાઢવા માટે હાકલ કરવામાં આવી હતી. હસીનાના ભાષણનું આયોજન છાત્ર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં અવામી લીગની વિસર્જન પામેલી વિદ્યાર્થી પાંખ છે. પોતાના સંબોધનમાં, ભૂતપૂર્વ વડા પ્રધાને દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિકાર શરૂ કરવા હાકલ કરી.