વાવ તાલુકાના કુંડાળીયા ચાર રસ્તા થી કારેલી ગામ સુધી એક વર્ષ અગાઉ નવીન રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ સિંગલ પટી ના રોડની બને સાઈડો પર બાવળો છવાઈ ગયા છે. વધુ માં આ રોડ પર નિલગાયો ની અવર જવર વધુ હોઈ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સામ સામા બે વાહનો ને પસાર થવું મુશ્કેલ બની જાય છે. જોકે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર અમારી વાત ને કોઈ ધ્યાન માં લેવાતી નથી.
સત્વરે આ રોડ પર કોઈ અકસ્માત ન સર્જાય તે પૂર્વ આ રોડ પર બાવળો નું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી બને ગામ ના લોકો ની માંગ છે. જોકે આ માર્ગ પર આ બને ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ વાહનોની અવર જવર વધુ રહે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રોડ બાઇક સ્લીપ મારવાના તેમજ બાઇક ના અકસ્માતો સર્જાયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. સત્વરે જવાબદાર તંત્ર આ આ માર્ગ પર બાવળોનું રાજ દૂર કરાવી રોડને ખુલો કરાવે તેવી માંગ છે.