ગૌ ભક્તો અને વેટરનરી તબીબોની મદદથી ૨૦ ગાયોને બચાવી લેવાઈ; વાવ તાલુકના બુકણા ગામની ગૌશાળાની ૨૫થી વધુ ગાયો ગતરોજ એકી સાથે કોઈ ખેતરમાં ચરવા માટે ગઈ હતી. જ્યાં કોઈ ઝેરી પ્રદાર્થ આરોગવથી પાંચ ગાયોના કરુણ મોત થતાં અરેરાટી મચી જવા પામી હતી. જોકે સ્થાનીક ગૌભક્તોને આ બાબતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાબડતોબ સારવાર કરતાં ૨૦ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ખેડૂત અગ્રણી અને ગૌભક્ત એવા રામસિંહજી રાજપૂત ખીમાણા પાદરવાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકી સાથે ગાયોનું ભૂખ્યું ઝુંડ કોઈ એક રેઢીયાળ ખેતરમાં ઘુસી જઈ એરેડાના પાકને આરોગતાં ફુડ પોઇઝન થવાથી રોડ પર ચાલતા ચાલતા પાંચ ગાયોના ટપોટપ મોત નિપજ્યા હતા. જ્યારે આ બાબતની ગૌભક્તોને જાણ થતાં વેટનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાત્કાલીક સારવાર આપી ૨૦ થી વધુ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ગૌભક્ત રામસિંહજી રાજપુતે ખેડૂત મિત્રોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખેતરમાં એરંડા લીધા બાદ તેના ઉભા પાકનો રોટર મશીનથી નિકાલ કરી દેવો જોઈએ. જેથી કરીને આવી કોઈ અઘટિત ઘટના ન બને.

- May 5, 2025
0
209
Less than a minute
Tags:
You can share this post!
editor