વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિવિધ હિંદુ યુવા સંગઠનો દ્વારા પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ બાબતે શિવ સેવાં સમિતિના પ્રમુખે જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અતિ નિંદનીય છે અને તેને તાત્કાલિક રોકવા જરૂરી છે. રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી છે, તેથી અમે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરીએ છીએ. આ આવેદનપત્ર દ્વારા, વિવિધ હિંદુ યુવા સંગઠન અને શિવ સેવાં સમિતિએ સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને પશ્ચિમ બંગાળમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

