વડનગરની જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય મધપૂડાના લીધે દર્દીઓમાં ભય

વડનગરની જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય મધપૂડાના લીધે દર્દીઓમાં ભય

સરકારી દવાખાનામાં જોવા મળ્યો મેડિકલ વેસ્ટનો ઢગલો; અદ્યતન ટેકનોલોજી અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ વડનગરની જનરલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, સરકારી દવાખાનામાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા છે, સાથોસાથ મેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણમાં ખુલ્લામાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવેલ. વૈશ્વિક ફલક પર ખ્યાતિપ્રાપ્ત વડનગર શહેરની એકમાત્ર અદ્યતન ટેકનોલોજી અને સુવિધા પૂર્ણ સરકારી દવાખાનાની ચારેય બાજુ મધ માખીઓના મધપૂડાના રાફડા ફાટી નીકળેલા ઉડીને આંખે વળગી રહ્યા છે.

ઐતિહાસિક વડનગર શહેરમાં મોરપીંછની કલગી સમાન G.M.E.R.S. હોસ્પિટલ પરિસરમાં આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળે છે. તેમાં છેલ્લા પંદર દિવસથી મૃત્યુ પામેલા સ્વાનનો મૃતદેહ પણ દુર્ગંધ મારી રહ્યો છે તેનું ચામડા તથા હાડપિંજર તથા વેસ્ટ કચરો ભમરા મધના મધપુડા વગેરેના લીધે સરકારી દવાખાનાની હાલત બદથી બદત્તર થઈ ગયેલી જોવા મળી રહી છે. જ્યાં નજીકમાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એટલે કે ખરવાડમાં માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર્શન કરવા આવતા ધાર્મિક લોકોને પણ આરોગ્યને નુકસાન થાય અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભમરાના મધપુડાની પણ દહેશત હેઠળ રહેવું પડી રહ્યું છે. આરોગ્યની મોટી મોટી વાતો કરતા આરોગ્ય વિભાગને શુ આ બધું નહીં દેખાતું હોય?? વહીવટી તંત્રની પણ હોસ્પિટલ આજુબાજુમાં ધોર બેદરકારી ને કારણે રોગચાળો ફેલાયો તેવી શક્યતા દેખાઈ રહી છે. ધર આંગણું સાફ ન હોય તો બીજાને શું શિખામણ આપે એવું વડનગર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે.

ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી યોજનાઓ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. ત્યાં આરોગ્યના ધામ ગણાતા દવાખાનામાં જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સરેઆમ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા તેમજ ભમરાઓના મધપૂડાના લીધે વડનગરના આ અદ્યતન સરકારી દવાખાનામાં લોકો આવતા ડરી રહ્યા છે. ત્યારે વડનગરના લોકોમાં સવાલ ઉભો થયો છે કે સરકારી દવાખાનાની જો આ હાલત હોય તો પછી હોયા આવતા દર્દીઓના જીવને જોખમ આવશે તો એના માટે જવાબદાર કોણ? આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ શા માટે આટલી મોટી બેદરકારીને ચલાવી રહ્યા છે? ગંદકીથી ખદબદી રહેલા વડનગરના આ અદ્યતન દવાખાના પાછળ કરોડો રૂપિયાનું આંધણ થયું છે અને સાફ સફાઈના નામે મિડું જોવા મળી રહ્યું છે ત્યારે આવી ઘોર બેદરકારી માટે જવાબદારો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું યોગ્ય પગલાં લેવાશે???

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *