IMFમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે ઉર્જિત પટેલ નિયુક્‍તી

IMFમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે ઉર્જિત પટેલ નિયુક્‍તી

RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે

RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે. તેમને આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. તેમને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે. પટેલે ૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૬ ના રોજ રિઝર્વ બેંકના ૨૪મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્‍યો. તેમણે રઘુરામ રાજનનું સ્‍થાન લીધું. તેમણે વ્‍યક્‍તિગત કારણોસર ડિસેમ્‍બર ૨૦૧૮ માં ગવર્નર પદ પરથી રાજીનામું આપ્‍યું.

પટેલને જાન્‍યુઆરી ૨૦૨૨ માં એશિયન ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેંકના વાઇસ પ્રેસિડેન્‍ટ બનાવવામાં આવ્‍યા હતા. પટેલે આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળ, બોસ્‍ટન કન્‍સલ્‍ટિંગ ગ્રુપ અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મૂળના ઉર્જિત પટેલનો જન્‍મ ૨૮ ઓક્‍ટોબર ૧૯૬૩ ના રોજ કેન્‍યામાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પણ કેન્‍યામાં મેળવ્‍યું હતું. તેમનું પૈતળક ગામ ગુજરાતના ખેડા જિલ્લામાં છે. લંડન યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યા પછી, પટેલે ઓક્‍સફર્ડ યુનિવર્સિટીમાંથી એમફિલ અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. ૧૯૯૦ થી ૧૯૯૨ સુધી, તેમણે અમેરિકા, મ્‍યાનમાર, ભારત અને બહામાસના ડેસ્‍ક તરીકે કામ કર્યું. પટેલે RBI ગવર્નર પદ પરથી રાજીનામું આપ્‍યા પછી, શક્‍તિકાંત દાસને સેન્‍ટ્રલ બેંકની જવાબદારી સોંપવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *