ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાના અને ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સાત ફાયર એન્જિન સહિત ઘણી ટીમો કામ કરી રહી છે.
- July 12, 2025
0
378
Less than a minute
You can share this post!
editor

