અડિયા દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ એમ બે દિવસીય ધાર્મિક મેળા નો પ્રારંભ

અડિયા દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ એમ બે દિવસીય ધાર્મિક મેળા નો પ્રારંભ

હારિજ તાલુકાના અડીયા ગામના દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમએમ બે દિવસીય ધાર્મિક મેળાનો શનિવારે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. આ ધાર્મિક મેળાને અનુલક્ષીને દુધેશ્વર મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકી એક અડીયા જાગીરદાર મઠનો ૫૦૦ વર્ષ જૂનો અખાડો અહીં આવેલો છે. આ સ્થળે પ્રાચીન સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ પ્રગટ થયા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા દર્શન માટે આવતા હોય છે.

શ્રાવણ માસમાં ભક્તોએ શિવજીને બીલીપત્ર,જળ અને દૂધના અભિષેક સાથે સુખડીનો પ્રસાદ અપૅણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવાર થી શરૂ થયેલા ધાર્મિક મેળામાં બાળકોના મનોરંજન માટે મોટી-નાની ચકડોળ અને ઇલેક્ટ્રિક રાઇડર્સ સહિત ખાણીપીણી ના સ્ટોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સફેદ લુક્તિની ખરીદી માટે કંદોઈના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. અડીયા ગામના યુવા સ્વયંસેવકો મેળાના બે દિવસ દરમિયાન પોતાની સેવા આપી રહ્યા છે. મેળાની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *