અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર, રાજકીય ઉથલપાથલ મચી ગઈ

અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર, રાજકીય ઉથલપાથલ મચી ગઈ

મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. PTI અનુસાર, અજિત પવારનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ પાંચેય લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, જેના કારણે અજિત પવારના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારના પાર્થિવ શરીરને બારામતી હોસ્પિટલમાં લાવવામાં આવતાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના સાથી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “મહારાષ્ટ્ર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે. મારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે આ એક દુઃખદ ઘટના છે. અજિત દાદા પોતાના વચનના પાકા હતા. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને તેઓ નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે અમે એક ટીમ તરીકે કામ કર્યું. એક ટીમ તરીકે, અમે લાડલી બહેન યોજના શરૂ કરી અને અજિત દાદાએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *