અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માત અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં થયો હતો, જ્યાં વિમાન પડી ગયા બાદ તેમાં આગ લાગી હતી. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. ઘટનાસ્થળેથી નીકળતો ધુમાડો અને સળગતા વિમાનની તસવીરો આ અકસ્માતની ભયાનકતા કહી રહી છે.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું, જે બપોરે 1:38 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભરી રહ્યું હતું. ટેકઓફ પછી તરત જ, વિમાને ATC ને ‘મેડે’ કોલ આપ્યો, પરંતુ આ પછી તેનો સંપર્ક તૂટી ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાને હવામાં સંતુલન ગુમાવ્યું અને થોડીવારમાં તે એરપોર્ટની સીમાની બહાર ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડી ગયું. દુર્ઘટના પછી તરત જ આગ લાગી ગઈ હતી, જેને બુઝાવવા માટે 7 થી વધુ ફાયર બ્રિગેડ યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાનું નિવેદન બહાર આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.