સોમવાર ના રોજ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી ભયાનક હુમલાઓ પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરી શકાય.
શુક્રવાર સવારે દિલ્હીની એક અદાલતે અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ તપાસ એજન્સીને ૧૮ દિવસની કસ્ટડી આપી હતી, તેના આદેશ મુજબ NIA અધિકારીઓ તહવ્વુર હુસૈન રાણાનું મેડિકલ ચેકઅપ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા દ્વારા આયોજિત 2008ના કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા કાવતરાની તપાસ કરવા માટે NIA તપાસકર્તાઓ દ્વારા રાણાની દરરોજ લગભગ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવે છે, જેમાં 166 લોકો માર્યા ગયા હતા અને 238 થી વધુ ઘાયલ થયા હતા.