રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેસ ત્રણ જજોની બેંચને મોકલવામાં આવ્યો, કાલે સુનાવણી થશે

રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેસ ત્રણ જજોની બેંચને મોકલવામાં આવ્યો, કાલે સુનાવણી થશે

બુધવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ આ કેસ ત્રણ ન્યાયાધીશોની બેન્ચને સોંપ્યો. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચને સોંપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ ગુરુવારે આ કેસની સુનાવણી કરશે. બે ન્યાયાધીશોની બેન્ચના આદેશની સમીક્ષા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ, ૧૧ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને પકડીને તાત્કાલિક આશ્રય ગૃહોમાં મોકલવામાં આવે. ઉપરાંત, એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પકડાયેલા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં ફરીથી રસ્તાઓ પર છોડવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયાની અંદર દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને રહેણાંક વિસ્તારોમાંથી ઉપાડીને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે. કોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ સંગઠન કે વ્યક્તિ આ કામમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે તે જાહેર હિતમાં આ પગલું ભરી રહી છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની લાગણીઓ સામેલ ન થવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ વિષય પર ફક્ત કેન્દ્ર સરકારની દલીલો જ સાંભળવામાં આવશે અને અન્ય કોઈપણ પક્ષ, પ્રાણી પ્રેમીઓની અરજી પણ સાંભળવામાં આવશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *