ડીસામાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં માનસિક અસ્થિર કિશોરનો આપઘાત

ડીસામાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં માનસિક અસ્થિર કિશોરનો આપઘાત

ડીસામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષના માનસિક અસ્થિર કિશોરે આત્મહત્યા કરી છે. આ ઘટના મહારાણા પ્રતાપ સરકારી શાળાના પરિસરમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ સગીર અવારનવાર ઘરેથી નીકળી જતો હતો. ગઈકાલે તેણે મહારાણા પ્રતાપ સરકારી શાળાની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.

આ ઘટનાની જાણ સૌપ્રથમ શાળાના બોર ઓપરેટરને થઈ હતી, જેમણે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી. જોકે, નગરપાલિકા પોલીસને બોલાવે તે પહેલાં જ મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહને નીચે ઉતારી ઘરે લઈ ગયા હતા. બાદમાં, પોલીસે પરિવારજનોને સમજાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાથી ડીસા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *