દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો છે, જે શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેજસ્વી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ છે. જૂન મહિનામાં બાંગ્લાદેશ ટીમના શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમાનારી બે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમ્યા બાદ ૩૭ વર્ષીય મેથ્યુઝ આ ફોર્મેટને અલવિદા કહેશે. તેમના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, મેથ્યુઝે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ છોડવાનો આ યોગ્ય સમય છે.
ટેસ્ટ ક્રિકેટમાં એન્જેલો મેથ્યુઝના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 118 મેચોમાં 44.62 ની સરેરાશથી 8167 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 45 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. મેથ્યુઝ 17 જૂનથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં છેલ્લી વખત સફેદ જર્સી પહેરશે અને તેની પાસે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને પાછળ છોડી દેવાની તક હશે, જેનાથી તે ફક્ત 13 રન દૂર છે. બે ટેસ્ટ મેચ ઉપરાંત, બાંગ્લાદેશની ટીમે શ્રીલંકામાં ત્રણ વનડે અને એટલી જ સંખ્યામાં ટી20 મેચોની શ્રેણી પણ રમવાની છે.

