દ.આફ્રિકા સામે કારમી હાર પછી વિરાટે ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી
વિરાટ કોહલીએ T-20 પછી ટેસ્ટની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે. તેણે શનિવારે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે. કોહલીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપતા એક ભાવુક સંદેશો પણ શેર કર્યો છે. આની પહેલા BCCIએ લિમિટેડ ઓવરમાં એક જ કેપ્ટન રાખવા મુદ્દે વિરાટને વનડે કેપ્ટન પદેથી હટાવી રોહિતની પસંદગી કરી હતી.
— Virat Kohli (@imVkohli) January 15, 2022