![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/85842244.jpg)
ટેસ્ટ ક્રિકેટમાં હરભજનસિંહનો રેકોર્ડ અશ્વિન તોડી શકે
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન નવા બોલથી શરૂઆત કરી શકે છે. કાનપુરમાં આવેલી ગ્રીન પાર્કની પીચ સ્પિનરો માટે મદદરૂપ થાય છે. આમ અશ્વિને ગયા વર્ષે જૂનથી એકપણ ટેસ્ટ મેચ રમી નથી. ત્યારે તે હરભજન સિંહની 417 વિકેટને પાછળ છોડીને ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં ત્રીજા સ્થાને પહોંચવાની નજીક જોવા મળી રહ્યો છે. જેમાં અશ્વિને અત્યારસુધી 79 મેચમાં 413 વિકેટ ઝડપી છે. આ સિવાય ભારત તરફથી અનિલ કુંબલે (619) અને કપિલ દેવ (434) ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યા છે. ભારત પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનરો સાથે ઉતરી શકે છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલને ત્રીજા સ્પિનર તરીકે સામેલ કરવામાં આવી શકે છે.