સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા ટીમ ઈન્ડિયા રવાના

Sports
Sports

વિરાટ કોહલીએ ગઈકાલે યોજલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે ભારતીય ટીમ મુંબઈથી સાઉથ આફ્રિકાના પ્રવાસે રવાના થઈ હતી. ટીમ ઈન્ડિયા મુંબઈથી જોહાનિસબર્ગ પહોંચશે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીરો ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.જેમાં ખેલાડીઓ હળવા મૂડમાં દેખાયા હતા.

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં આઠમી ટેસ્ટ સિરિઝ રમશે અને અત્યાર સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરિઝની જીતનો દુકાળ દુર કરશે તેવી અપેક્ષા છે. ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટની સિરિઝ રમવાની છે.પહેલી ટેસ્ટનો 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રારંભ થવાનો છે. કોહલીએ આ પહેલા કહ્યુ હતુ કે, સાઉથ આફ્રિકા એવી જગ્યા છે જ્યાં અત્યાર સુધી અમે એક પણ ટેસ્ટ સિરિઝ જિત્યા નથી અને આ વખતે ટેસ્ટ સિરિઝ જીતવા માટે કટિબધ્ધ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.