![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/01/rakhewal-305.jpg)
ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી પ્રારંભ, IPL પહેલાં ગ્રૂપ મેચ અને નૉકઆઉટ પછી
BCCI સચિવ જય શાહે રણજી ટ્રોફી અંગે મોટી જાહેરાત કરી જણાવ્યું કે,‘એક સિઝન બાદ ફરી રણજી ટ્રોફીનો પ્રારંભ થશે. આગામી મહિનાથી 2 તબક્કામાં રણજી મેચોનું આયોજન કરાશે. IPL અગાઉ ગ્રૂપ રાઉન્ડની મેચો રમાશે અને IPL બાદ જૂનમાં નૉકઆઉટ મેચો રમાશે.’ કોરોનાને કારણે ગત વર્ષે રણજી ટ્રોફીનું આયોજન કરાયું નહોતું.
આ વર્ષે 13 જાન્યુઆરીથી તેનો પ્રારંભ થવાનો હતો, કોરોનાને કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરાઈ હતી. તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી શરૂ થશે. પ્રથમ તબક્કો એક મહિના સુધી ચાલશે. શાહે કહ્યું,‘રણજી ટ્રોફી અમારી સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ છે. જે ભારતીય ક્રિકેટને દર વર્ષે નવું ટેલેન્ટ આપતું રહે છે. આ જરૂરી છે આ મહત્ત્વપૂર્ણ ટ્રોફીના આયોજન માટે જરૂરી પગલા લઈએ.’