![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ભારત-અને-ઇંગ્લેન્ડ-વચ્ચે-રાજકોટમાં-02.jpg)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ ટેસ્ટમાં સરફરાઝ ખાન અને ધ્રુવને મોકો આપવામાં આવ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.આ પહેલા હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી જે ઈંગ્લેન્ડે જીતી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત નોંધાવીને શ્રેણી બરોબરી કરી લીધી છે. ભારતે રાજકોટમાં ટોસ જીતીને પ્રથમ બેટિગનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટમાં સરફરાઝ ખાન અને ધ્રુવને મોકો આપવામાં આવ્યો છે. આ બંનેની આ પ્રથમ ટેસ્ટ મેચ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસન