![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/asasa.jpg)
707 દિવસ બાદ આજથી રણજી ટ્રોફીનો પ્રારંભ, પૂજારા સૌરાષ્ટ્રથી રહાણેની મુંબઈ ટીમ સામે રમશે
ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફીનો 707 દિવસ બાદ પ્રારંભ થશે. ગુરુવારથી રણજીની નવી સિઝન શરૂ થઈ રહી છે. પૂજારા સૌરાષ્ટ્ર તરફથી રમશે અને તેની સામેની મુંબઈની ટીમ વતી રહાણે રમતો જોવા મળશે. બંને ખેલાડીઓ ફોર્મ પરત મેળવવા ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉતરશે. ગ્રૂપ-ડીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને મુંબઈની મેચ 9.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત અમદાવાદમાં ઓડિશા અને ગોવા, ગુવાહાટીમાં દિલ્હી અને તમિલનાડુ, રોહતકમાં મહારાષ્ટ્ર અને આસામની મેચો રમાશે. ઈશાંત શર્માએ અગાઉ રણજી માટે ના પાડી હતી, જોકે હવે તે ટીમ સાથે જોડાશે.