![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/jadeja-and-ayyar-bcci.jpg)
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 4 વિકેટે 258 રન કર્યા
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. જેમાં શ્રેયસ અય્યર 75 રન બનાવીને અણનમ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા 50 રને નોટઆઉટ છે. જેમાં ગિલની ટેસ્ટ કારકિર્દીની 4 અડધી સદી હતી.