![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/content_image_c2805696-1a63-440c-a259-ce27298bfa5a.jpeg)
આવતીકાલથી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રેયર ઐયર ડેબ્યુ કરશે
ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની પ્રથમ મેચનો આવતીકાલે કાનપુરમાં પ્રારંભ થશે. ત્યારે આ મેચમાં ભારત વતી શ્રેયસ ઐયર ડેબ્યુ કરશે. આ સિરિઝમાં ભારતના સ્ટાર ખેલાડીઓને આરામ અપાયો છે. રોહિત શર્મા,જસપ્રીત બુમરાહ,મહોમ્મદ શામી તેમજ ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ સિરિઝમાં નથી રમવાના. જ્યારે કેપ્ટન કોહલી પણ પ્રથમ ટેસ્ટ નહીં રમે. ત્યારે પ્રથમ ટેસ્ટમાં રહાણે કેપ્ટનશિપ કરશે. ઐયર 54 રણજી મેચમાં 52ની એવરેજથી 4592 રન બનાવી ચુકયો છે. જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.