![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/01/rakhewal-247.jpg)
નીરજ ચોપરાને પણ મળ્યું સ્થાન, વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી
પ્રજાસત્તાક દિવસ 2022 પુરસ્કારો: દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ના વિશેષ અવસર પર વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ITBPને 18 મેડલ અર્પણ કર્યા. વીરતા માટે 3 પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે 3 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સેવા માટે 12 પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા હતા.
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર સ્ટાર ખેલાડી નીરજ ચોપરાને હવે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. કુલ 384 લોકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ જ યાદીમાં નીરજ ચોપરાને પણ સ્થાન મળ્યું છે.
73માં ગણતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા 384 લોકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 122 વિશિષ્ઠ સેવા મેડલ, 81 સેના મેડલ (શૌર્ય), 2 વાયુ સેના મેડલ, 40 સેના મેડલ, 8 નેવી મેડલ, 14 વાયુ સેના મેડલ (ડ્યુટી ટુ ડ્યુટી) સામેલ છે.