કાનપુર ટેસ્ટમાં ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચી દીધો
ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને કાનપુર ખાતે રમાઈ રહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ઈતિહાસ સર્જ્યો છે. જેમા તેણે ટેસ્ટ ક્રિકેટની 415મી વિકેટ લીધી અને આ સાથે તેમણે પાકિસ્તાનના વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. ત્યારબાદ તે પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહની 417 વિકેટના રેકોર્ડથી અશ્વિન ફક્ત 2 વિકેટ દૂર રહી ગયો છે. વર્ષ 2021માં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવામા રવિચંદ્રન અશ્વિનનું નામ સૌથી ઉપર છે. જેમાં તેની 40 વિકેટ થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાનના શાહીન આફરિદીની 39 વિકેટ છે.