![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/VIKIPLShreyasIyer.jpg)
કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી
કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી છે.શ્રેયસ અગાઉ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે દેખાવ કરી ચૂક્યો છે.જોકે ઐયરને ઈજા થયા બાદ દિલ્હીએ પંતને સુકાન સોંપ્યું હતુ અને તેણે જબરજસ્ત સફળતા મેળવતા ઐયરને પુનરાગમન બાદ પણ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી નહતી.જેના કારણે તેણે દિલ્હી કેપિટલ્સ છોડવાનો નિર્ણય લીધો હતો અને કોલકાતાએ તેને રૂ.12.25 કરોડમાં ખરીદ્યો ત્યારે જ તેને ટીમનો કેપ્ટન બનાવાશે તેવું લાગતું હતુ.આમ કોલકાતા નાઈટ રાઈડર્સે ગત સિઝનમાં મોર્ગનની કેપ્ટન્સીમાં આઇપીએલની ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને તેઓ ચેન્નાઈ સામે હાર્યા હતા.આમ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરે સફળતા મેળવતા ટીમને 2019 અને 2020માં પ્લેઓફમાં પ્રવેશ અપાવ્યો હતો.તેઓ વર્ષ 2019માં એલિમિનેટરમાં હાર્યા હતા.જ્યારે વર્ષ 2020માં તેઓ ફાઈનલમાં પરાજીત થયા હતા.આમ ઐયરે વર્ષ 2018 થી 2020 સુધી દિલ્હીનું સુકાન સંભાળ્યું હતુ.આમ ઐયરની કેપ્ટન્સીમાં રમાયેલી 41 આઇપીએલ મેચમાંથી 21માં જીત્યો હતો,જ્યારે 18માં હાર્યો હતો અને બે મેચ ટાઈ થઈ હતી.