ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માને ઈજા

Sports
Sports

ભારતીય ટીમ 16 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થવાની છે ત્યારે તે પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક ખબર સામે આવી છે.

મુંબઈમાં ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માને ઈજા થઈ છે.ટ્રેનિંગ સેશન દરમિયાન થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રાઘવેન્દ્રનો બોલ સીધો રોહિતના હાથ પર લાગ્યો હતો.

રોહિત શર્માને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ અપડેટ હજી સુધી આવ્યા નથી.આ જ પ્રકારની ઈજા અંજિક્ય રહાણેને પણ 2016માં થઈ હતી.જેમાં તેમની આંગળી પર ફ્રેક્ચર થયુ હતુ.

સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે.રોહિતની ઈજા જો વધારે ગંભીર નહીં હોય તો તે મેચ પહેલા ફિટ જશે અને જો પહેલી ટેસ્ટ રમી નહીં શકે તો તેમની જગ્યાએ મયંક અગ્રવાલ અને રાહુલ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.