![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/Rakhewal-170.jpg)
ભારતની મહિલા ટીમનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો
કેરે બહેનોની આઠમી વિકેટની અણનમ 20 રનની ભાગીદારીને સહારે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ભારત સામેની બીજી વન ડેમાં એક ઓવર બાકી હતી,
ત્યારે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી.જેમાં એમિલીયાએ અણનમ 119 રન કર્યા હતા,જ્યારે જેસ્સ કેરે 6 રને નોટઆઉટ રહી હતી.આમ મેચ જીતવા માટેના 271ના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની મહિલા ટીમનો સ્કોર પાંચ વિકેટે 200 થઈ ગયો હતો.પરંતુ એમિલીયાએ એક છેડો સાચવી રાખતાં લડત આપી હતી અને ન્યુઝીલેન્ડે 49મી ઓવરમાં સાત વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી.
જેના કારણે એમિલીયાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.જે મેચમાં દીપ્તી શર્માએ ચાર વિકેટ ઝડપી હતી.આમ પાંચ વન ડેની શ્રેણીમાં ન્યુઝીલેન્ડે 2-0થી સરસાઈ મેળવી હતી.ભારતની મહિલા ટીમે પ્રથમ બેટીંગ કરતાં છ વિકેટે 270 રન કર્યા હતા.જેમાં કેપ્ટન મિતાલી રાજે 66 રન નોટઆઉટ અને વિકેટકિપર બેટ્સમેન રિચા ઘોષે 65 રન કર્યા હતા.
જ્યારે ઓપનર એસ.મેઘનાએ 49 રન નોંધાવ્યા હતા આ સિવાય શેફાલી વર્માએ 24,યાસ્તિકા ભાટિયાએ 31,હરમનપ્રીતે 10,પૂજા વસ્ત્રાકરે 11 અને દીપ્તી વર્માએ નોટઆઉટ 1 રન કર્યો હતો.જેમાં સોફી ડેવિને 42 રનમાં 2 વિકેટ ઝડપી હતી.